Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

બેભાન હાલતમાં ત્રણના મોત

સ્‍વાતિપાર્કના રમેશભાઇ, રાધાપાર્કના શાલીનભાઇ અને આર્યનગરના રમિલાબેને સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: કોઠારીયા રોડ સ્‍વાતિ પાર્કમાં રહેતાં રમેશભાઇ ઠાકરશીભાઇ પિત્રોડા (ઉ.૬૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્‍યું હતું. તેઓ છ ભાઇમાં નાના અને અપરિણીત હતાં. આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ હવેલી શેરી રાધા પાર્કમાં રહેતાં શાલીનભાઇ સતિષભાઇ વાગડીયા (ભીલ) (ઉ.૩૫) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. ત્રીજા બનાવમાં આર્યનગર ૧૫-બીમાં રહેતાં રમિલાબેન રામજીભાઇ માનાણી (માળી) (ઉ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે.

(12:09 pm IST)