Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રામા મંડળમાં ઉડાડવા માટે ૫૦ હજાર દીધા તેની સામે છુટા ન આપ્યાઃ ઝઘડો કરી કારખાનેદાર પર હુમલો

કેદારનાથ રોડ પર ન્યુ સૂર્યોદય સોસાયટીમાં બનાવઃ બ્રિજેશભાઇ ઘીયાડને મારકુટ થતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૧૮: કોઠારીયા રોડ પર કેદારનાથ રોડ પર આવેલી ન્યુ સૂર્યોદય સોસાયટીમાં રહેતાં બ્રિજેશભાઇ પ્રવિણભાઇ ઘીયાડ (ઉ.વ.૩૫) નામના પટેલ કારખાનેદાર પર કેદારનાથ સોસાયટીમાં રાત્રે સવા બે વાગ્યે રામામંડળ ચાલતું હતું તે સ્થળે હુમલો કરી ઢીકાપાટુનો માર મારવામાં આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. અલ્પેશભાઇએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

બ્રિજેશભાઇના કહેવા મુજબ તેને હાર્ડવેરનું કારખાનુ છે. રાતે કેદારનાથ સોસાયટીમાં રામામંડળ રમાતું હોઇ પોતે ત્યાં ગયા હતાં. તેમાં પૈસા ઉડાવવા હોઇ તેણે રૃા. પચાસ હજાર બાધા આપ્યા હતાં. તેની સામે છુટા પૈસા ન અપાતાં તેણે ઉડાડવા માટે પૈસા માંગતા અથવા પોતે આપેલી રકમ પાછી આપવા કહેતાં ત્યાં હાજર પટેલ શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સારવાર બાદ બ્રિજેશભાઇએ રાતે જ હોસ્પિટલમાંથી રજા લીધી હતી.

(3:47 pm IST)