Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

રાજકોટ જેલમાં જેતપુરના કેદીનું બેભાન થઇ ગયા બાદ મોત થયું

હત્યાના ગુનામાં પાકા કેદી તરીકે સજા પડી'તી

રાજકોટ,તા. ૧૮ : રાજકોટ જેલમાં આજીવન કેદની સજા કાપતા જેતપુરના પ્રૌઢનું બેભાન થયા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે.

મળતી વિગત મુજબ રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતા હબીબ અબ્દુલભાઇ નથવાણી (ઉવ.૫૩), (રહે. જેતપુર) ગઇ કાલે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક હબીબને જેતપુરમાં થયેલી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પડ્યા બાદ તે ૧૬ વર્ષથી રાજકોટ જેલમાં હતો. આ બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ સુરેશભાઇ જોગરાણા તથા રાઇટર આનંદભાઇએ પ્રૌઢના મૃત્યુ પાછળનું કારણ જાણવા ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

(12:37 pm IST)