Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અંકુરનગરમાં પાણીના ટાંકામાં પડી જતા સોનલબેન હાલાણીનું મોત

રાજકોટ, તા.૧૭ : શહેરના ગુરૂપ્રસાદ ચોક પાસે અંકુરનગરમાં પાણી ભરતી વખતે ટાંકામાં પડી જતા મહિલાનું ડુબી જતા મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ગુરૂપ્રસાદ ચોક અંકુરનગર શેરી નં. ૪માં રહેતા સોનલબેન સુરેશભાઇ હાલાણી (ઉ.વ.પ૧) સવારે પોતાના ઘરે ભોં ટાંકામાંથી પાણી ભરતા હતાં ત્યારે બેલેન્સ ગુમાવતા પાણી ભરેલા ટાંકામાં પડી ગયા હતાં. પરિવારજનોને ખબર પડતા તેને ટાંકામાંથી બહાર કાઢી તાકીદે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સોનલબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ બી.બી. રાણા અને રાઇટર પ્રશાંતસિંહ સહિતે તપાસ આદરી હતી.

(3:41 pm IST)