આપણા રાષ્ટ્રના આ ૭૫ માં ભારતીય સ્વતંત્રતા દિવસ અને આઝાદીના અમૃત ઉત્સવ નિમિતે આપણે ભારતના એવા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીએ જેમણે ભારતીય સ્વતંત્રતાના બળવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતની આઝાદીની યાત્રા અત્યંત લાંબી હતી. મુખ્ય બળવો ૧૦ મે ૧૮૫૭ થી શરૂ થયો હતો, જયારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો હતો. ત્યાર બાદ ભારત પર બ્રિટિશ સરકાર દ્વારા સીધું શાસન કરવામાં આવ્યું હતું. તે સમયે બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ ગવર્નર-જનરલ તરીકે ઓળખાતા.
જો કે આઝાદી માટેના પ્રાયાસો ૧૮૫૭ પહેલા જ શરૂ કરવામાં અવ્યા હતા. પ્રચંડ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તોના પ્રયાસો અને બાલિદાન પછી આખરે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના આપણા ભારતીય ઇતિહાસનો સુવર્ણ દિવસે આપણને આઝાદી મળી. આઝાદી પછીના છેલ્લા ૭૫ વર્ષની આ સુવર્ણ યાત્રા ૧૮૫૭ માં વિદ્રોહના અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ઘણા વર્ષોના સંઘર્ષ પછી પ્રાપ્ત થઈ હતી. જેમાં પ્રચંડ દેશભક્તોએ રાષ્ટ્ર માટે તેમના રક્ત અને જીવનનું બલિદાન આપ્યું હતું અને આજે આપણે તેમના દ્વારા વાવેલા ફળ લણી રહ્યા છીએ.
બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૬૧૨ થી ૧૭૫૭ ના પ્લાસીના યુદ્ધમાં તેની જીત દ્વારા ભારતમાં તેની હાજરી ચિહ્નિત કરી, જેના દ્વારા બ્રિટિશરોએ શરૂઆતમાં પૂર્વ ભારતમાં મજબૂત પકડ કરી. ૧૭૬૪ માં તેઓએ મુઘલ સમ્રાટ શાહઆલમને બક્સરની લડાઈમાં હરાવ્યા, જેના દ્વારા તેમને બંગાળ (હાલ બંગાળ, બિહાર અને ઓડિશા)ના પ્રાંતોમાં મહેસૂલ વસૂલવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એંગ્લો-મૈસૂર યુદ્ધો અને એંગ્લો-મરાઠા યુદ્ધો દ્વારા ભારતના વધુ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યુ અને નેતૃત્વ પ્રાપ્ત કર્યું.
૧૮૫૭ નો બળવો, અંગ્રેજોના વસાહતી જુલમ સામે સ્વતંત્રતા સંગ્રામની સભાન શરૂઆત હતી. ૧૮૫૭ ના વિદ્રોહ માટે વિવિધ નામોથી જણાય છે જેમકે ભારતનું પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ, સિપાહી બળવો વગેરે.
આઝાદીના અમૃત મહોત્સવ પર સ્વતંત્ર સંગ્રામીયોના વાસ્તવિક બલિદાન અને ઇતિહાસને યાદ કરી પુનર્જીવિત કરીએ અને આપણા ઐતિહાસિક તથ્યો માં ઉલ્લેખ કર્યો હોય તેવા કેટલાક મહાન નાયકો કે જેમણે રાષ્ટ્ર માટે નોંધપાત્ર યોગદાન અને બલિદાન આપ્યું છે તેમને શ્રદ્ધાંજલિ આપીએ.
પ્રારંભિક બળવોમાં દક્ષિણ ભારતના શ્રી માવીરન અલાગુમુથુ કોને હતા જે ૧૭૧૦ માં એક સામાન્ય પરિવારમાં જન્મેલા હતા. તે એટ્ટાયપુરમ શહેરમાં લશ્કરી નેતા બન્યા અને સરદારના પદ સુધી પહોંચ્યા. શિવગંગાના રાણી વેલુ નાચિયાર (૧૭૩૦-૧૭૯૬) યુદ્ધ શષાોના ઉપયોગ ઘોડેસવારીમાં માહિર હતા સાથો સાથ અને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં નિપુણતા હતી. જયારે તેના પતિ, મુથુવાદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટિશ સૈનિકો સાથેના યુદ્ધમાં માર્યા ગયા, ત્યારે તે યુદ્ધના મેદાનમાં ઉતારી આવ્યા. સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં કુંવરસિંહનું પ્રચંડ યોગદાન હતું. તેમની છેલ્લી લડાઈ, ૨૩ એપ્રિલ ૧૮૫૮ ના જગદીસપુર પાસે લડાઈ હતી. તાંતિયા ટોપે ૧૮૫૭ ના ભારતીય બાળવામાં સેનાપતિ હતા અને તેના નોંધપાત્ર નેતાઓમાંના એક હતા.
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ ૧૮૫૭ ના ક્રાંતિના સૌથી ઉગ્ર સભ્યોમાંના એક હતા. તેમણે દેશભરની ઘણી મહિલાઓને ભારતની સ્વતંત્રતા માટે લડવા માટે પ્રેરણા આપી હતી. એજ રીતે બેગમ હઝરત મહેલનું સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજો સામે લડવા માટે હિંદુઓ અને મુસ્લિમોને એક જૂટ કરવામાં સૌથી મોટા યોગદાન હતું.
મંગલ પાંડે અંગ્રેજો સામે ૧૮૫૭દ્ગક્ર વિદ્રોહના ભારતીય સ્વાતંત્ર્ય સેનાના પૂર્વગામી તરીકે ઓળખાય છે. નાના સાહેબ તરીકે ઓળખાતા બાલાજીરાવ ભટ્ટ ભારતના મરાઠા સામ્રાજયના આઠમા પેશ્વા હતા. બાલાજી બાજીરાવ તેમનું બીજું નામ હતું. નાના સાહેબે, મરાઠા સામ્રાજયના રાજા તરીકે, પુણેના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ૧૮૫૭દ્ગક્ર વિદ્રોહમાં નાના સાહેબનો મુખ્ય ફાળો હતો. બિરસા મુંડા દ્વારા પણ સ્વતંત્રતા આંદોલન ચલાવવામાં આવ્યું. તેમણે આદિવાસી ધાર્મિક સહષાાબ્દી આંદોલન નું નેતૃત્વ સંભાળ્યુ હતુ.
એજ રીતે અશફાકુલ્લાખાન સ્વતંત્રતાના પ્રબળ હિમાયતી હતા અને ઈચ્છતા હતા કે અંગ્રેજો કોઈપણ ભોગે ભારત છોડી દે. ૧૮૯૭ માં જન્મેલા રામ પ્રસાદ બિસ્મિલ ભારતીય ક્રાંતિકારી હતા જેમણે બ્રિટિશ સંસ્થાનવાદ સામે લડત આપી હતી. દુર્ગાબાઈ દેશમુખ એક ભારતીય સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર, વકીલ, અને રાજકારણી હતા. બ્રિટિશ રાજથી ભારતની આઝાદીની લડતમાં તે મહાત્મા ગાંધીના અનુયાયી હતા.
પંજાબ કેસરી તરીકે જાણીતા લાલા લજપત રાય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્યોમાંના એક હતા. સ્વતંત્રતા મેળવવા માટે ભારતની રાજકીય નીતિને આકાર આપવા માટે તેઓ પત્રકાર પણ બન્યા અને ધ ટ્રિબ્યુન સહિત અનેક અખબારોમાં નિયમિત યોગદાન આપ્યું હતું. લાલ-બાલ-પાલ ત્રિપુટીના સભ્ય બાલ ગંગાધર તિલક લોકમાન્ય તરીકે પણ ઓળખાય છે.બીજા સભ્ય બિપિન ચંદ્ર પાલ, ભારતીય રાષ્ટ્રવાદી, લેખક, વક્તા, સમાજ સુધારક અને ભારતીય સ્વતંત્રતા આંદોલનના સ્વાતંત્ર્ય સેનાની હતા.
વિનાયક દામોદર સાવરકરનું જીવન એક સમર્પિત સ્વતંત્રતા સંગ્રામી અને કાર્યકર તથા ભારતીય ક્રાંતિકારી તરીકે વિતાવ્યું હતું. ભગતસિંહ અત્યંત ક્રાંતિકારી ભારતીય સ્વતંત્રતા સેનાનીઓમાંના એક હતા. સુખદેવ એક બહાદુર ક્રાંતિકારી હતા. શિવરામ રાજગુરુ મહારાષ્ટ્રના ભારતીય ક્રાંતિકારી હતા. ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે પણ જાણીતા દાદાભાઈ નરોજીનું કાર્ય ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ માટે બૌદ્ધિક અને નૈતિક પાયો પૂરો પાડવા માટે મહત્વપૂર્ણ હતું. સુભાષ ચંદ્ર બોઝે ભારતમાં રાષ્ટ્રવાદી રાજકીય પક્ષ ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકનું નેતૃત્વ સંભાળી મોટુ પ્રદાન આપેલ.
ચંદ્ર શેખર આઝાદ એક અદભૂત અગ્નિશામક ક્રાંતિકારી હતા જેમણે દેશ માટે બાહોશીથી આઝાદીની ઝંખના કરી હતી. ગોપાલ કૃષ્ણ ગોખલેએ પોતાનું જીવન રાષ્ટ્રના કલ્યાણની પ્રગતિ માટે સમર્પિત કર્યું હતું. એજ રીતે મૌલાના અબુલ કલામ આઝાદે ભારતીય ક્રાંતિકારી નેતાઓના જુસ્સો વધારવાનું કાર્ય સાપ્તાહીક ના માધ્યમથી કર્યુ હતુ. વલ્લભભાઈ પટેલ ભારતીય બેરિસ્ટર, રાજનેતા અને ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રણી નેતા હતા. તેઓ ભારતના લોખંડી પુરુષ (આયર્નમેન) તરીકે જાણીતા હતા. ડો.રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્ર માટે તેમનું યોગદાન ઘણું ઉંડું છે. ધ નાઈટીંગેલ ઓફ ઈન્ડિયા સરોજિની નાયડુ એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી, પ્રખ્યાત વક્તા અને કુશળ કવિ હતા. મોહનદાસ કરમચંદ ગાંધીજીને ભારત માટે તેમના અપાર બલિદાન માટે રાષ્ટ્રપિતા તરીકે આદરવામાં આવે છે.
આપણા દેશના તમામ સ્વતંત્ર સેનાનીઓ અને શહીદો ની દેશભક્તિની ગાથા તથા જીવનચરિત્ર જાણીને આજે પણ આપણા હૃદયને આપણી માતૃભૂમિ માટે પ્રેમ, આદર અને સમ્માન થી ભરી દે છે. આપણા રાષ્ટ્રના આ ૭૫ માં ભારતીય સ્વતંત્રતા દિવસ પર આપણે બધા ભારતીઓ દરેક સ્વતંત્રતા સેનાની દ્વારા તેમના યોગદાન, બલિદાન અને સંઘર્ષને સલામ અને શ્રદ્ધાંજલિ આપીએ. ચાલો આપણે બધા એક જવાબદાર નાગરિક બનીને આપણા રાષ્ટ્ર પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ. (૧૬.૪)
સંકલન : કુ. કિરણબેન ચંદારાણા,
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મોં.૯૯૭૪૦૨૨૪૫૩