Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટમાં મનસુખભાઇ માંડવીયાનું ઢોલ નગારા સાથે સ્વાગત થશે

૧૯મીએ 'જન આર્શીવાદ યાત્રા' શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશેઃ શહેર ભાજપ દ્વારા સન્માન કરાશેઃ તમામ વોર્ડના આગેવાનો સાથે યોજાયેલ મીટીંગ

રાજકોટઃ  શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા , ધારાસભ્ય અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ જિલ્લાના પ્રભારી રક્ષાબેન બોળીયા સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં  તા. ૧૯ ઓગષ્ટના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની 'જન આશિર્વાદ યાત્રા' અંતર્ગત શહેર ભાજપના હોદેદારો, તમામ વોર્ડના વોર્ડપ્રમુખો-મહામંત્રી-પ્રભારીઓ, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

 'જન આશિર્વાદ યાત્રા' માં તા.૧૯ના એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે એરપોર્ટથી પ્રારંભ થશે.  શહેર ભાજપ દ્વારા આ યાત્રાનું બેન્ડ ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું શાનદાર સ્વાગત થશે ત્યારબાદ રેસકોર્ષ, કીસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, બોમ્બે હોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ,ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ સમાપન થશે. આ બેઠકને સફળ બનાવવા શહરે ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી. 

(3:44 pm IST)