Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જયેશ વી. શાહને રાજય માર્ગ સલામતી એવોર્ડ અર્પણ

રાજકોટ : માર્ગ સલામતિ અને માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા ઓની તાત્કાલિક મદદ અને મૃત્યુબાદ ઓર્ગન ડોનેશન જેવા વિષયો ઉપર તન મન અને ધન થી વર્ષોથી કામ કરી રહેલા આપણ રાજકોટના  જયેશ વી. શાહને ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ ૨૦૨૦ વ્યકિતગત વિભાગમાં પ્રથમ સ્થાને એનાયત થયો છે. આ એવોર્ડ સાથે વાહનવ્યવહાર મંત્રી આર સી ફળદુ તથા   ઈશ્વરભાઈ પટેલ સાહેબ ના હસ્તે સવા લાખ રૂપિયાનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. જે.વી. શાહ ને જાન્યુઆરી ૨૦૨૧માં દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહજી અને નીતિન ગડકરીજીના હસ્તે ગુડ સમરીટનનો પ્રથમ ક્રમાંકે નેશનલ ગોલ્ડ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

(3:05 pm IST)