Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ખાદ્યતેલમાં મંદીઃ સીંગતેલ-કપાસીયા તેલમાં ૧૦ અને પામતેલમાં ર૦ રૂા. તૂટયા

રાજકોટ તા. ૧૬: પામતેલની આયાતની છૂટ મળશે તેવા અહેવાલે આજે ખાદ્યતેલોમાં મંદી જોવા મળી હતી. સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા.તેમજ પામતેલમાં ર૦ રૂા. ઘટયા હતા. સ્‍થાનીક બજારમાં પામતેલની આયાતની ટુંક સમયમાં છૂટ મળશે તેવા અહેવાલે સીંગતેલમાં ૧૦ રૂા. ઘટયા હતા. બપોરે ર વાગ્‍યે સીંગતેલ-લુઝ (૧૦ કિ.ગ્રા.) ના ભાવ ઘટીને ૧પ૭પ અને સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ર૬૮૦થી ર૭૩૦ રૂા. થયા હતા. કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા. ઘટતા કપાસીયા તેલ લુઝના ભાવ ઘટીને ૧પપ૦ અને કપાસીયા ટીનના ભાવ ઘટીને ર૬રપ થી ર૬૭પ રૂા. થયા હતા. જયારે પામતેલમાં ર૦ રૂા.નું ગાબડુ પડયું પામતેલ લુઝના ભાવ ઘટીને ૧પપ૦ રૂા. થયા હતા. પામતેલ ટીનના ભાવ ઘટીને રપર૦ થી રપરપ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

(3:56 pm IST)