Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પૂ.મનોહરમુનિ મ.સા.ની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિએ શુક્રવારે જૈન કન્‍યા સુસંસ્‍કાર તીર્થ ખાતે તપોત્‍સવ

આગમદિવાકર પૂ.ગુરુદેવશ્રી જનકમુનિ મ.સા.ના શિષ્‍યરત્‍ન શાષાવિશારદ :એકાસણાં તપમા જોડાવવા ઇચ્‍છુક તપસ્‍વીઓ એ નામ ગુરુવાર બપોર સુધીમાં લખાવવાના રહેશે

રાજકોટ, તા.૧૭:ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત આગમદિવાકર પૂ.ગુરુદેવશ્રી જનકમુનિ મ.સા. ના અંતેવાસી કળપાપાત્ર શિષ્‍યરત્‍ન શાષાવિશારદ પંડિતરત્‍ન પૂ.મનોહરમુનિ મ.સા ની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નો દિવ્‍ય અવસર તપ જપ સામાયિક ની સાધના આરાધના સાથ તપોત્‍સવ ધર્મનગરીમા બિરાજમાન પૂ. સંત સતીજીઓના સુમંગલ સાંનિધ્‍યમા આગમદિવાકર પૂ.શ્રી પ્રેરિત જૈન કન્‍યા સુસંસ્‍કાર તીર્થના પાવન પ્રાંગણે તા.૨૦ ને શુક્રવાર ના સવાર ના ૯ કલાક થી ઉજવવામાં આવશે.

એકાસણાં તપ જપ ત્રિરંગી સામાયિક મા જોડાવવા ઇચ્‍છુક શ્રદ્ધાવંત શ્રાવક ભાઈઓ બહેનોએ

તા.૨૦ ને શુક્રવાર ના સવારના ૯ કલાક પહેલા જૈન સુસંસ્‍કાર તીર્થ મધ્‍યે આવી જવાનું રહેશે અને સામાયિક લેવાની રહેશે.સવારના ૯.૩૦ થી ૧૧.૩૦ પધારેલ પૂ. સંત સતીજીઓના શ્રીમુખે થી પરમાત્‍માની જિનવાણીનો લાભ લેવાનો રહેશે.બપોર ના ૧૧.૪૫ કલાકે સામુહિક શાતાકારી એકાસણાં કરાવવામાં આવશે બપોરના ૨ થી ૩ કલાકે નવકાર મહામંત્રની સામુહિક જપસાધના થશે ત્‍યારબાદ બપોરના ૩ કલાકે હાજર રહેલ તપસ્‍વીઓનું તપની અનુમોદના થશે. એકાસણાં તપ તથા જપ સાધના સામાયિકની અનુમોદના આગમદિવાકર પૂ.જનકગુરુદેવ ના સંસારી બહેન ગં.સ્‍વ.જશવંતીબેન શાંતિલાલ દફ્‌તરી પરિવાર તરફથી થશે.

એકાસણાં તપ તથા જપ સામાયિક મા જોડાવવા ઇચ્‍છુક શ્રાવક ભાઈઓ બહેનોએ સુચારુ વ્‍યવસ્‍થા માટે પોતાના નામ તા.૧૯ ગુરુવાર બપોરના ૪ વાગ્‍યા પહેલા નિમ્‍નલિખિત કોઈપણ એક સ્‍થાનક મા લખાવવાના રહેશે. શ્રી જૈન કન્‍યા સુસંસ્‍કાર તીર્થ જ્‍યોતિનગર,ક્રિસ્‍ટલ મોલની પાછળ, કાલાવડ રોડ, ત્‍બ્‍ઘ્‍   ક્‍વાર્ટસ પછીની શેરી,શ્રી મનહરપ્‍લોટ સ્‍થા.જૈન સંઘ-શેઠ પૌષધશાળા,શ્રી રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળા

વિશેષ માહિતી માટે  ચંદ્રકાંતભાઈ દફ્‌તરી (મો.૯૮૨૫૨૨૩૧૯૯), સી.એમ.શેઠ (મો.૯૮૨૪૦ ૪૩૭૬૯), ડોલરભાઈ કોઠારી (મો.૯૮૨૫૩ ૧૭૩૩૩) નો સંપર્ક  કરી શકાશે. એકાસણાં તપ જપ ત્રિરંગી સામાયિક  સાધના આરાધનામા જોડાવવા શ્રી વર્ધમાન સેવા સંઘએ અનુરોધ કરેલ છે

(3:29 pm IST)