Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મહાપાલિકાને બખ્‍ખા : મિલકત વેરાની ૧૦૨ કરોડની આવક

પ્રમાણીક ૧,૯૪,૪૦૨ કરદાતાઓએ એડવાન્‍સ મિલકત વેરા વળતર યોજનાનો લાભ લીધો : મહત્તમ વળતર મેળવવા કરદાતાઓને મેયર પ્રદિપ ડવ - સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલ અને મ્‍યુ. કમિશનર અમિત અરોરાની અપીલ : એડવાન્‍સ વેરો ભરનાર મિલકત ધારકને મે માસમાં ૧૦ થી ૧૫% અને જુન માસમાં ૫ થી ૧૦% વળતર : શહેરીજનો વળતર યોજનાનો લાભ લેવા ટ્‍વેન્‍ટી-૨૦ના મૂડમાં

રાજકોટ તા. ૧૭ : મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં તા. તા.૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર આપવાનું હાલ ચાલુ છે. જેમાં આજે તા.૧૭ સુધીમાં ૧,૯૪,૪૦૨ કરદાતાઓએ એડવાન્‍સ મિલ્‍કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે અને વેરા પેટે કુલ રૂ. ૧૦૨ કરોડની રકમ ભરપાઈ કરી છે. આ યોજના હેઠળ ચાલુ મે માસમાં ᅠતા.૩૧ સુધીમાં મહતમ વળતર મેળવવા કરદાતાઓને મેયર,ᅠચેરમેન અને કમિશ્નરશ્રીએ અપીલ કરી છે.
વિશેષમાં તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, આજે તા.૧૭ સુધીમાં ૧,૯૪,૪૦૨ કરદાતાઓએ કુલ રૂ.૧૦૨.૦૫ કરોડની રકમ વેરા પેટે ભરપાઈ કરી છે. ગત નાણાકીય વર્ષમાં આજના દિવસે કુલ રૂ. ૩૯ કરોડની રકમ કરદાતાઓએ ભરપાઈ કરેલ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્‍સ પેમેન્‍ટ કરનાર કરદાતાઓએ આશરે કુલ રૂ.૧૧.૫૦ કરોડનું વળતર મેળવેલ છે. ૧,૨૪,૧૩૯ કરદાતાઓએ ઓનલાઈન ટેક્‍સ પેમેન્‍ટનો લાભ લીધો છે. તેઓએ કુલ રૂ. ૬૧.૪૧ કરોડની રકમ ભરપાઈ કરેલ છે.
ᅠઆ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષમાં ૧૧,૩૩૪ કરદાતાઓએ વ્‍યવસાય વેરા પેટે રૂ. ૪.૮૪ કરોડની રકમ ભરપાઈ કરેલ છે. ગતસાલ આજના દિવસે ૬૮૪૩ કરદાતાઓએ રૂ. ૩.૨૪ કરોડની રકમ ભરપાઈ કરી હતી. ᅠᅠᅠᅠ
ᅠએડવાન્‍સ વળતર યોજના- તા.૩૧ મે સુધી
ᅠ૩૧ મે સુધીᅠવેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૧૦%ᅠવળતરᅠઆપવામાં આવશે. ᅠફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનારᅠવળતરᅠઉપરાંત વિશેષ ૫%ᅠવળતરᅠઆપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્‍ટ કરનાર મિલ્‍કત ધારકનેᅠᅠᅠઆપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૧% આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવીᅠયોજનાનો દરમ્‍યાન સંપૂર્ણᅠવેરોᅠભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ % આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦ % થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્‍ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ ૫ %ᅠવળતરᅠઆપવામાં આવશે.
તા.૧ જુન થી ૩૦ જુન સુધી મળનાર લાભ
૧ જુન થી ૩૦ જુન સુધીᅠવેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર ૫%ᅠવળતરᅠઆપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫%ᅠવળતરᅠઆપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્‍ટ કરનાર મિલ્‍કત ધારકનેᅠᅠᅠઆપવામાં આવનારᅠવળતરᅠઉપરાંત વિશેષ ૧% આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવીᅠયોજનાનો દરમ્‍યાન સંપૂર્ણᅠવેરોᅠભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ % આપવામાં આવશે. ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦ % થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્‍ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ ૫ %ᅠવળતરᅠઆપવામાં આવશે.

 

(2:52 pm IST)