Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મનપાના 3BHKના ફલેટના ફોર્મની મુદ્દતમાં વધારો : ૩૧ મે સુધી તક

૪૪૭૬ ફોર્મ ઉપડયા : ૭૪૨ પરત આવ્‍યા : ઓનલાઇન પણ આવાસનું ફોર્મ ભરી શકાશે : પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, અમિત અરોરા તથા વર્ષાબેન રાણપરાની જાહેરાત

રાજકોટ તા. ૧૬ : કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્‍તારમાં બનાવેલા એમઆઇજી (થ્રી બીએચકે)ના ૭૬૯ ફલેટ માટેના ૪૪૨ ફોર્મ પરત તંત્ર દ્વારા ફોર્મ વિતરણ અને પરત લેવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્‍યો છે. હવે અરજદારો તા. ૩૧ મે સુધી ફોર્મ ભરી શકશે તેમ મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા તથા હાઉસીંગ સમિતિના ચેરમેન વર્ષાબેન રાણપરા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્‍યું હતું કે,રાજકોટ મહાનગરપાલિકા દ્વારાMIG -૧૨૬૮ આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. આ આવાસની કિંમત રૂ. ૨૪ લાખ રાખવામાં આવેલ. આMIGઆવાસના ફોર્મ સ્‍થાનિક પરિસ્‍થિતિ તથા કોવિડ-૧૯ ના કારણે લોકો દ્વારા ૨૪ લાખ પ્રતિ આવાસની કિંમતથી ખરીદવા માટે યોગ્‍ય પ્રતિસાદ મળેલ ન હતો. જે ધ્‍યાનમાં રાખી ગત તા. ૭ માર્ચના રોજ સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા પ્રતિ આવાસની કિંમત રૂ. ૧૮ લાખ રાખવાનું મંજુર કરવામાં આવેલ છે અને રૂ. ૬ લાખ જેટલો ઘટાડો કરવામાં આવેલ છે. આ નિર્ણય બાદMIGપ્રકારના ૧૨૬૮ આવાસો પૈકી હાલ ખાલી રહેલ ૭૬૯ આવાસ અને ભવિષ્‍યમાં ખાલી પડનાર આવાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર્મ વિતરણ તા.૨૧ થી ૧૬ સુધીની મુદત આપવામાં આવેલ. ઉક્‍ત મુદત દરમ્‍યાન ૪૪૭૬ અરજદારો દ્વારા ફોર્મ મેળવવામાં આવેલ. જયારે ગઈકાલ સુધીમાં ૭૪૨ લાભાર્થીઓ દ્વારા ફોર્મ પરત આવેલ છે. જે લોકોએ ફોર્મ ઉપાડેલ છે તેઓ કોઈ કારણોસર ફોર્મ પરત આપી શકેલ ન હોય તેવા લાભાર્થીઓ ફોર્મ પરત આપી શકે અને નવા લાભાર્થીઓ પણ ફોર્મ મેળવી શકે તેવા હેતુથી વિશેષ મુદત વધારો આપવાનું એટલે કે તા.૧૭ મે થી તા.૩૧ મે સુધી લાભાર્થી ફોર્મ મેળવી શકશે અને પરત આપી શકશે. ᅠᅠ

MIGનાં આવાસની કિંમત રૂ.૧૮ લાખઅને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવકરૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખસુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

આવાસ યોજનાના ફોર્મ શહેરનીઆઈ.સી.આઈ.સી.આઈ. બેંકનીજુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્‍ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથારાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્‍ટર મારફત મળશે અને ત્‍યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.૧૦૦ રહેશે જયારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.૫૦ આપવાની રહેશે. MIGના આવાસની કિંમત રૂ.૧૮ લાખઅને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવકરૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખસુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

MIGપ્રકારના આવાસમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાંબે બેડરૂમ,એક સ્‍ટડી રૂમ,એક હોલ,રસોડું,એટેચ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્‍ટેન્‍ડિંગ બાલ્‍કની,સાથે સુવિધા આપવામાં આવશે.

મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્‍ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૪.૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે ૧૧.૦૦ થી બપોરે ૩.૦૦ વાગ્‍યા સુધીનો રહેશે. મહાનગરપાલિકાની www.rmc.gov.inᅠᅠવેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

(4:14 pm IST)