Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દમણ-મહાબળેશ્વર ખાતે વિવિધ વિષય પર સેમિનારઃ મેયરને આમંત્રણ

રાજકોટ,તા.૧૭: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ દ્વારા  દમણ-મહાબળેશ્વર ખાતે વિવિધ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સેમિનારમાં જોડાવવા માટે રાજકોટનાં પ્રતિનિધિ તરીકે મેયરને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ  ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ દ્વારા તા,૨૪,૨૫-જાન્યુઆરી-૨૦૧૮ દરમિયાન દમણ ખાતે જાહેર શૌચક્રિયા મુકત સિટી વિષય પર સેમીનાર યોજાનાર છે. તથા પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા ૩૦,૩૧-જાન્યુઆરી-૨૦૧૮ દરમિયાન મહાબળેશ્વર ખાતે વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ.

ઉકત બન્ને સેમિનારમાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, રાજસ્થાન, આસામ, ત્રિપુરા, દીવ-દમણ દાદરનગર હવેલી વિગેરે રાજયો માંથી ભાગ લેવા આવશે.

ઉપરોકત બન્ને વર્કશોપમાં ભાગ લેવાનું નિમંત્રણ મેયર ડો. જૈમન ઉપાધ્યાયને મળેલ છે. જો કે, હજુ આ સેમિનારમાં હાજરી આપવા બાબતે મેયરશ્રીએ કોઇ કન્ફર્મેશન મોકલાવેલ નથી.

(4:15 pm IST)