Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાધેશ્યામ ગૌ શાળા ખાતે શુક્રવારે બિજ નિમિત્તે પાઠ પૂજા અને સંતવાણી

રાજકોટ, તા.૧૭: સંસ્થા શ્રી રાધેશ્યામ ગૌ શાળા- ગાંધીગ્રામ રૈયાધાર ખાતે આગામી તા.૧૯ને શુક્રવારના રોજ રામદેવપિરનાં બીજ નિમિતે પાઠ- પૂજા રાખેલ છે.

જેમાં ગાદીપતી શ્રી પ્રભુદાસબાપુ ગોંડલીયા, કોટવાળ કનુભાઈ અને ભગવાનજીભાઈ કોટવાળ પાઠમાં હાજર રહેશે. ગૌ શાળામાં બિરાજતા સંતશ્રી વિજંતીનાથ બાપુ કાયમી આશીર્વાદ મળે છે. તેમજ ગૌ શાળામાં ૪૫૦ થી ૫૦૦ ગૌમાતાની સેવા થાય છે. કાયમી બટુક ભોજન સાંજે કરાવવામાં આવે છે.

સંચાલકશ્રી રાધેશ્યામબાપુ સહયોગી સંતશ્રી પૂ.શંકર મહરાજ શાસ્ત્રીજી રાધેશ્યામ ગૌ શાળા આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં રામેશ્વર ચોક ખાતે પણ સહુ સંતોના આશીર્વાદ રાખેલ છે. તેમજ રાત્રે ૯ વાગ્યે સંતવાણીમાં પૂ.શાસ્ત્રીજી શ્રી જીતુભાઈ પંડ્યા અને નામી અનામી કલાકારો હાજરી આપશે.

(4:01 pm IST)