Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રેલનગરમાં પાંચ દિવસ પહેલા દાઝી ગયેલા મરાઠી યુવાન આકાશનું મોત

કડીયા કામની સાઇટ પર ઝૂપડામાં શાક બનાવતી વખતે સ્ટવમાં ભડકો થયો'તોઃ પત્નિ અને ચાર સંતાન નોધારા

રાજકોટ તા. ૧૭: રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ સામે નવા બનતાં કવાર્ટરની સાઇટ પર ઝૂપડુ બાંધીને પરિવાર સાથે રહેતો અને કડીયા કામની મજૂરી કરતો મુળ મહારાષ્ટ્રનો આકાશ રાવતભાઇ સોનકરે (ઉ.૩૦) નામનો મરાઠા યુવાન ૧૨/૧ના રાત્રે નવેક વાગ્યે ઝૂપડામાં શાક ગરમ કરતો હતો ત્યારે સ્ટવમાં ભડકો થતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મોત નિપજ્યું છે.

આકાશ કડીયા કામની મજૂરી કરતો હતો અને પત્નિ ગીતાબેન, ત્રણ પુત્રી તથા એક પુત્ર સાથે રહેતો હતો. તેના મોતથી આ તમામ નોધારા થઇ જતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(12:39 pm IST)