Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નાગેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ રાજકોટ ખાતે તા.૨૧ના રોજ

પૂ.કુલચંદ્ર સૂરીશ્વરજી (કે.સી.)મ.સા.નો ભવ્ય નગર પ્રવેશઃ ૧૨ વર્ષ બાદ પધરામણી

તા.૨૨ના રોજ પૂ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના ગુરૂમંદિરનું ખાતમુર્હત

રાજકોટ, તા.૧૭: ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક પૂ.આ.શ્રી વિ.કુલચંદ્રસૂરીશ્વરજી (કે.સી.) મ.સા.નો બાર વર્ષ બાદ રાજકોટમાં તા.૨૧ના રોજ નાગેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, જામનગર રોડ ખાતે ભવ્ય નગરપ્રવેશ બાદ પધરામણી કરશે.જેમાં તા.૨૧ને રવિવારે પૂ.શ્રીનું સવારે ૭:૩૦ કલાકે દ્વારકાધીશ પેટ્રોલ પંપથી સામૈયા શરૂ થશે જે વાજતે ગાજતે ૮ વાગ્યે નાગેશ્વર જૈન સંઘમાં પ્રવેશ કરશે. ત્યારબાદ કે.સી.મ.સા. માંગલીક પ્રવચન ફરમાવશે. ઉપસ્થીત ભાવીકો માટે સવારે ૯ કલાકે નવકારશી રાખવામાં આવેલ છે.જયારે તા.૨૨ને સોમવારના રોજ પ. પૂ.તપાગચ્છાધિપતિ આ.શ્રી વિ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સૌ પ્રથમ ગુરૂમંદિરનું સવારે ૯ કલાકે પૂ.કુલચંદ્રસુશ્વરજી (કે.સી.) મ.સા.ની પાવન નિશ્રામાં ખાતમુર્હત યોજાશે. આ સમગ્ર કાર્યક્રમમાં પધારવા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યુ છે.

 

(11:44 am IST)