કોંગ્રેસના ધારાસભ્યોનો રણટંકાર... ખેડુતોના વિવિધ પ્રશ્ને ૧ ફેબ્રુઆરીથી કોંગ્રેસ દ્વારા આંદોલનના શ્રીગણેશ કરીને આક્રોષ વ્યકત કરવામાં આવશે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો રજુ કરતા ધારાસભ્યો લલિતભાઇ વસોયા, હર્ષદભાઇ રીબડીયા, પ્રવિણભાઇ મુછડીયા, ચિરાગભાઇ કાલરીયા, વલ્લભભાઇ ધારવીયા તથા કોંગ્રેસના હોદ્દેદારો નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧૬ : સૌરાષ્ટ્રના ખેડૂતોને રાજય સરકાર દ્વારા થતા અન્યાય મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો મેદાનમાં આવ્યા છે અને આગામી તા.૧ ફબ્રુઆરીથી આંદોલન શરૂ કરીને રાજય સરકારને ઢંઢોળશે.તેમ ''અકિલા'' કાર્યાલય ખાતે ''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ આંદોલનાત્મક કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. ''અકિલા'' કાર્યાલય ખાતે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, કાલાવડના પ્રવિણભાઇ મુછડીયા, જામનગર ગ્રામ્યના વલ્લભભાઇ ધારવીયા ઉપસ્થિત રહીને સરકાર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
આ આંદોલનમાં ટંકારા, પડધરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ કગથરા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ સહિતના પણ જોડાશે.
કોંગ્રેસના ધારાસભ્યો લલીતભાઇ વસોયા, હર્ષદભાઇ રીબડીયા, ચિરાગભાઇ કાલરીયા, પ્રવિણભાઇ મુછડીયા, વલ્લભભાઇ ધારવીયા સહિતનાએ જણાવ્યું હતું કે તા.૧ ફેબ્રુઆરીથી આંદોલનાત્મક કાર્યક્રમોના શ્રીગણેશ થશે.
જયારે તા. ર થી ૬ સમગ્ર સૌરાષ્ટ્રમાં મામલતદાર કચેરીએ ધરણા અને આવેદનપત્રો પાઠવાશે. તા.૭ ફેબ્રુઆરીના તમામ તાલુકા મથકોએ મામલતદાર તેમજ પ્રાંત અધિકારોની કચેરીઓને તાળાબંધી કરીને આક્રોશ વ્યકત કરાશે.
કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના ખેડુતોને પાક વિમો સિંચાઇ ખેત નિપજના વળતરદાયક ભાવો ન મળતા ખેડુતોમાં પ્રવર્તતા અજંપાને લોકવાચા આપવા તેમજ ખેડુતોના હક્કની હિફાજન કરવા માટે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભાજપની રાજય અને કેન્દ્ર સરકાર સામે ખેડુતોના હક્કની માંગણી કરવામાં આવે છેજો સમયમર્યાદામાં આ માંગણી સ્વીકારવામાં ભાજપની ગુજરાત અને કેન્દ્રની સરકાર નિષ્ફળ જશે તોતે સામે રણશીંગુ ફુંકી તબકકાવાર આંદોલનનું આયોજન કરી ખેડુતોના પ્રાણપ્રશ્નો માટે ઉગ્ર લડત આપવામાં આવશે.
ખેડુતો માટેની માંગણીઓમાં પાકવિમો કપાસનો પાક વિમો, મગફળીનો પાક વિમો પ્રધાનમંત્રી કૃષિ ફસલ વિમા યોજનાના રૂપકડા નામે હેઠળ જુની પાક વિમા યોજનાની સરખામણીએ વ્યવહારૂ અમલમાં અડચણો ઉભી થઇ છે.
જેમા દરેક ગામને યુનિટ ગણી, પ્રત્યેક ગામે કે, પ કટીંગના ૬ નમુના લેવાનું ધોરણ કૃષિ અધિકારીની અછતને લીધે શકય ન બનતા ખેડુતોને પાકવિમા માટેના પ્રાથમિક સર્વેક્ષણમાં અન્યાય મહેસાણાની કેડીએમ નામની ખાનગી એજન્સીને જે કામગીરી સોંપેલ છે તેમાં લાયકાત મુજબના સ્ટાફના અભાવે જરૂરી કામગીરી સમય મર્યાદામાં કરવામાં નિષ્ફળતા મુખ્યમંત્રીશ્રીની જામકંડોરણા ખાતેની જન્માષ્ટમી પહેલા પાક વિમો ચુકવવાની જાહેરાતને નિષ્ફળતા મળી છ.ે
આ ઉપરાંત નર્મદાની સૌરાષ્ટ્ર બ્રાંચની ધ્રાંગધ્રા-હળવદ, મોરબી, માળીયા, બ્રાંચ કેનલમાંથી ખેડુતોને સિંચાઇ માટે અપાતું પાણી અનિયમિત અપાય છે. લોપ્રેસરથી અપાયછે. વારાબંધી મુજબ પાણી ન આપીને ખેડુતોને અન્યાય કરાય છે. તે સ્થિતિ નિવારી જગતના તાત ખેડુતોને સિંચાઇનું હકનું પાણી સમયસર મળે અને ભાજપ સરકાર તરફથી રખાતી કિન્નાખોરી બં કરાય તેમ કરાવવા માંગણી કરવામાં આવે છે.
ખેડુતોને કપાસ, મગફળી અને કઠોળ જેવી ખેત નિપજના વળતર દાયક ભાવો ન મળતા ખેડુતોમાં અજંપો પ્રવર્તે છ.ે ગુજરાત સરકારે મોટા ઉપાડે ખેડુતોની મગફળી ટેકાના ભાવમાં રૂ.૧૦૦નું બેનર આપીને ખરીદવાની લાભ પાંચથી શરૂઆત કરેલ પણ મગફળીના રપ લાખ ટન બમ્પર ઉત્પાદન સામે માર ૮ લાખ ટન મગફળીની ખરીદી કરી રહી તો બાકીના ૧પ લાખ ટન મગફળી બાબતે ગુજરાત સરકાર શું વિચારે છ.ેતે ફોડ આપવો જોઇએ સાથોસાથ હાલ મગફળીની ખરીદીમા કેન્દ્રો આપવામાં ખરીદ પ્રક્રિયામાં વિસંગતતા અને ચુકવામાં વિલંબતા જોવા મળે છે તે નિવારવી જરૂરી છ.ે
જો ઉપરોકત બાબતે સમયસર ભાજપની રાજય અને કેન્દ્ર સરકાર ખેડુતોને ન્યાય નહિ આપે તો ખેડુતોના પ્રશ્નો કોંગ્રેસના ધારાસભ્યો શેરીઓમાં લઇ જશે તેવો આક્રોશ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો છ.ે
''અકિલા'' કાર્યાલયે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા, તાલુકા પંચાયત સદસ્ય દેવસીભાઇ સુવા, રાજકોટ જીલ્લા પાસ કન્વીનર બ્રિજેશ પટેલ, દિવ્યેશભાઇ કોરાટ ઉપસ્થિત રહ્યા હતા.