Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

આજથી ૩ દિ' કોઠારીયા-વાવડી માં પાણી કાપઃ ગરીબોને ટેન્કરોથી પાણી વિતરણ

રાજકોટ : પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા પાઇપ લાઇન (હડાળા સેકશન)માં રીપેરીંગ માટે તા.૧૯ થી રાજકોટ તરફ પાણી પમ્પીંગ બંધ  કરવામાં આવતા  નર્મદા નીર નહિ મળવાના કારણે કોઠારીયા અને વાવડી વિસ્તારમાં વોર્ડ નં.૧૮ અને ૧રમાં આવતા તિરૂપતિનગર, કોઠારીયા ગામ, સ્વાતી સોસાયટી, નારાયણનગર, શકિતનગર, રસુલપરા, ગૌતમબુધ્ધ નગર અને વાવડી ગામ (આંગન સીટી) સહિતના વિસ્તારોમાં તા.૧૬ થી તા.૧૯ જાન્યુ. સુધી પાણી વિતરણ નહી થાય ત્યારે પછાત વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશેઃ મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાનીની જાહેરાત 

(4:09 pm IST)