Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

યુએલસી જમીન ઉપર દબાણો નિયમીત કરવા જે તે વિસ્તારના મામલતદારનો સંપર્ક કરોઃ ગોવિંદભાઈ

સુચિત સોસાયટીઓની નવેસરથી કામગીરી શરૂ

રાજકોટ,તા.૧૬ : સરકારે સંપાદન કરેલ યુ.એલ.સી. જમીન ઉપરના દબાણો નિયમિત કરવા જે તે વિસ્તારના મામલતદારનો સંપર્ક કરવા ધારાસભ્યશ્રી ગોવિંદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે.

શ્રી પટેલે વધુમાં જણાવ્યું છે કે રાજકોટમાં ઘણા કિસ્સાઓમાં અરજદારનો ખબર ન હોવાથી અરજી કરવાની રહી ગઈ હતી તેવા કિસ્સાની મને મળેલ ફરિયાદો ઉપર સરકારમાં રજુઆતો કરતા સરકારે માર્ચ ૩૦ સુધીની મુદત આવા કિસ્સામાં લંબાવી આપી છે જે ધ્યાને લઈ જે જે મકાન ધારકો જેમને યુ.એલ.સી.ની જમીન ઉપર દબાણ કરેલ છે. તેઓ અરજી કરીને સરકારી યોજનાનો લાભ લે તેમ એક યાદીમાં જણાવેલ છે.

સુચિત સોસાયટીની નવેસરથી કામગીરી શરૂ થઈ ગઈ છે જે સોસાયટીઓ બાકી છે તે દશેક દિવસમાં આવી જશે. જે અગાઉથી મંજુર થઈ ગયેલ છે અને જેના ફોર્મ ભરાઈ ગયા છે તેઓ તુરંત જે તે નાયબ મામલતદારનો સંપર્ક કરે જ્યાં જરૂર પડે ત્યાં સંપર્ક કરવા અંતમાં જણાવાયું છે.

(3:47 pm IST)