Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

લાઈફ કેર સોશ્યલ ફાઉન્ડેશન દ્વારા કાલે રકતદાન કેમ્પ

 રાજકોટ :   લાઈફ કેર સોશ્યલ ફાઉન્ડેસન દ્રારા એક રકતદાન કેમ્પ કાલે તા.૭ રવિવારે આર્યનગર કોમ્યુનિટી હોલ, પેડક રોડ, રાજકોટ ખાતે સવારે ૮ થી બપોરે ૧ સુધી રાખેલ છે, સંસ્થાના પ્રમુખ શ્રી અજીતભાઈ લોખિલ, સંસ્થાનાં ઉપપ્રમુખ અને આયોજનનાં અધ્યક્ષ નિર્મલભાઈ ડાંગરનાં જણાવ્યા અનુસાર ૨૫૦ થી ૩૦૦ લોકો રકતદાન કરશે, રકતદાતાઓને સંસ્થા વતી સન્માનિત  રકતદાતા સન્માન પત્ર અને યાદગીરી રુપ ભેટ આપવામા આવશે. આ રકતદાન કેમ્પમાં રેડ ક્રોસ બ્લડ બેન્ક અને સિવિલ હોસ્પિટલ સેવા આપશે. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા અજીત લોખીલ, કાનજીભાઇ સેલડિયા, ભાવેશભાઈ લોખિલ, અજયભાઈ લોખિલ, ઈર્શાદભાઈ દલ, જે. કે. પટેલ, દેવરાજભાઈ પટેલ, ભરતભાઈ લીંબાસીયા, દિલીપભાઈ કુગશિયા, દિનેશભાઈ લોખિલ, નિર્મલભાઈ કુવાડિયા, મયુરભાઈ ચાવડા, પાલજીભાઈ રાઠોડ, હસમુખભાઈ સંચાણીયા, પરેશભાઈ રાઠોડ, માંડણભાઈ ચાવડા, બાબુભાઈ માલી, જીગરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ રામાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. વધુ વિગતો માટે મો.૯૦૬૭૭૭૮૯૧૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૩૦.૯)

(3:55 pm IST)