Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રાજકોટ ગુરૂકુલમાં ૧૦૦૮ વાનગીઓનો અન્નકૂટ-ગોવર્ધન પૂજા

રાજકોટઃ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે પ્રાર્થના મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧૦૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. આ નિમિત્તે ગોવર્ધન પૂજાનું આયોજન કરેલ જેમાં પૂ.શ્રી હરિપ્રિયદાસજી સ્વામીઍ પૂજન કરેલ. આ અન્નકૂટ પૂ.સંતવલ્લભ સ્વામી, પૂ.શ્રી વલ્લભ સ્વામી, પૂ.રૂગનાથચરણ સ્વામી, પૂ.તીર્થવંદન સ્વામી, પૂ.નારાયણપ્રિય સ્વામી, પૂ.ગુણસાગર, પૂ. વશરામ ભગત વગેરે સંતો દ્વારા આ અન્નકૂટ બનાવવામાં આવેલ.

(12:53 pm IST)