Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

બીમારીનો સામનો કરી રહેલ વિકલાંગ અમિતભાઇના લાભાર્થે

પેડક રોડ પર રાત્રે 'રામ નામ કે હીર મોતી' ફેઇમ અશોભાઇ ભાયાણીની ભજન સંધ્યાનો કાર્યક્રમ

રાજકોટ તા. ૧૬ : મણકાની તકલીફના કારણે પથારીવશ થયેલ દર્દી વિકલાંગ અમિતભાઇ કિશોરભાઇ સિમેજીયાને સારવાર ખર્ચમાં મદદરૂપ બનવા રામ નામ કે હીરે મોતી ભજન ફેઇમ જાણીતા કલાકાર અશોકભાઇ ભાયાણીની ભજન સંધ્યાનો કાર્યક્રમ આજે તા. ૧૬ ના શનિવારે રાત્રે ૯ વાગ્યે પેડક રોડ, આર્યનગર સોસાયટી, કૈલાશધારા મેઇન રોડ, ખોડીયાર ડેરીની બાજુમાં યોજવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૮ વર્ષથી બીમારીનો સામનો કરી રહેલ અમિતભાઇ સિનોજીયાને સારવાર માટે અંદાજીત રૂ.૭ લાખની મદદની જરૂર છે. ત્યારે તેમના આ ખર્ચને પહોંચી વળવા અશોકભાઇ ભાયાણીનો ભજન સંધ્યા કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. જેમાં દાતાઓ તેમજ સમાજના સુખી સંપન્ન લોકોએ અવિરત મદદ વરસાવવા જાહેર અનુરોધ કરાયો છે.

(3:11 pm IST)