Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પુષ્કરધામ પાસે કવાર્ટરમાં સજુભા અને પુત્ર ઇન્દ્રજીતસિંહ પર ધોકા-પાઇપથી હુમલો

બાઇકની ઠોકરે બાળકી ચડી જતાં ઠપકો આપ્યાનું મનદુઃખ : સલિમ તથા સાથેના અજાણ્યા શુખ્સો હુમલો કરી ભાગી ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૬: પુષ્કરધામ રોડ પર કેવલમ્ રેસિડેન્સી સામે આરએમસી કવાર્ટર નં. ૩૩માં રહેતાં સજુભા રાહુભા રાણા (ઉ.વ.૬૫) અને તેના પુત્ર ઇન્દ્રજીતસિંહ સજુભા રાણા (ઉ.વ.૩૩) પર રાત્રે સાડા દસેક વાગ્યે ઘર નજીક સલિમ તથા અજાણ્યા શખ્સોએ હુમલો કરી ધોકા-પાઇપથી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરી હતી. સજુભાના કહેવા મુજબ પોતે વિમલનગરમાં સિકયુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે અને પુત્ર સજુભા ડ્રાઇવીંગ કરે છે. ઘર પાસે બે વર્ષની ભાણેજ રમતી હોઇ તેને એક શખ્સ નશો કરેલા જેવી હાલતમાં બાઇક પર નીકળી ઠોકરે ચડાવતો ગયો હોઇ તેને ઠપકો અપાયો હતો. એ બાબતનો ખાર રાખી રાતે સલિમ સહિતના આવ્યા હતાં અને હુમલો કરી ભાગી ગયા હતાં.

(12:57 pm IST)