Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રસીના બે ડોઝ લીધા બાદ ઓર્થોપેડીક સર્જન ડો. હિરેન કોઠારી સંક્રમિત થયા

પત્ની અને માતા પણ પોઝીટીવઃ હોમ આઈસોલેશન

રાજકોટ, તા. ૧૬ :. કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્ના છે. રાજકોટમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ બહાર આવી રહ્યા છે. કોરોના દર્દીઓની સારવાર કરતા અનેક મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ ખૂબ કોવિડ-૧૯થી સંક્રમીત થઈ રહ્યા છે.

આજે શહેરની શિવ ઓર્થોપેડીક હોસ્પીટલના સીનીયર સર્જન ડો. હિરેન કોઠારી સંક્રમીત થતા ચિંતાની લાગણી ફેલાય છે. ડો. હિરેન કોઠારીઍ કોવિડ-૧૯ની રસીના બે ડોઝ લીધા છતાં કોરોનાથી સંક્રમીત થતા તબીબી આલમમાં પણ આશ્ચર્ય સર્જાયુ છે.

ડો. હિરેનભાઈ કોઠારી સાથે તેમના પત્નિ તેજલબેન અને માતા પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

(4:32 pm IST)