Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રેલવે સ્ટેશનની સામે આંધ્ર પ્રદેશના યુવાનની લાશ મળી

રાજકોટ તા. ૧૬: રેલવે સ્ટેશનની સામે ચા-નાસ્તાની દુકાન પાસે એક પરપ્રાંતિય યુવાનની લાશ મળી આવતા પ્રનગર પોલીસે તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ રેલવે સ્ટેશન સામે ચા-નાસ્તાની દુકાન પાસે એક અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. વીમલેશભાઇ તથા ગૌતમભાઇએ સ્થળ પર પહોંચી યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તપાસનીસ તબીબોએ તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. બાદ પોલીસે યુવાનની ઓળખ મેળવવા માટે તપાસ કરતા મૃતક યુવાનના ભાણેજે પોતાના મામા શ્રીજીગેડુલા યતીનાયડુ અપલારસામા (ઉ.વ.૪૬) (રહે. આંધ્ર પ્રદેશના ગોદાવરી જીલ્લો) નામ આપ્યું હતું. તે ઘણા વર્ષોથી રાજકોટ રેલવે સ્ટેશન આસપાસ દુકાનોમાં કામ કરી ફુટપાથ પર રહેતા હતા. તેનું હાર્ટએટેકથી મોત નિપજયું હોવાની પોલીસે શંકા વ્યકત કરી છે.

(4:13 pm IST)