Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બુધવારે સોનલમાંની જન્મજયંતિઃ સામેૈયુ નિકળશે

જડેશ્વર મહાદેવ મંદીરેથી ચારણ જ્ઞાતિની વાડી સુધી માતાજીનું સામૈયુઃ મહા આરતી મહા પ્રસાદના કાર્યક્રમો

રાજકોટઃ તા.૫, આગામી તા.૨૦ના બુધવારે આઇશ્રી સોનલમાંની જન્મજયંતિ છે આ નિમિતે માતાજીના સામૈયા, મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા છે. ૨૦મીના બુધવારે બપોરે ૩ વાગ્યે શ્રી જડેશ્વર મહાદેવ મંદીર (ગરબી ચોક, વિનોદનગર, કોઠારીયા રોડ,  ખાતેથી માતાજીનું સામૈયુ નિકળશે. જે રાજમાર્ગો ઉપર ફરી ચારણ જ્ઞાતિની વાડી ખાતે સંપન્ન થશે.

તે જ દિવસે સાંજે ૬ કલાકે આઇશ્રી સોનબાઇમાની મહાઆરતી થશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આવા આયોજનને સફળ બનાવવા ભગવતભા ગોબરૂ (મો.૯૯૨૫૦ ૯૯૯૪૨), ભાવેશભા ભાંસળીયા (યુ.કે.), દીલીપભાઇ તળાવીયા, દીપકભાઇ ધવા, અલ્પેશભાઇ પુજારા, પીન્ટુભા લાંબા, નરેશભા ગઢવી  જહેમત ઉઠાવી રહયા છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા

(3:53 pm IST)