Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કાલે કોર્પોરેટરોને ભથ્‍થુ નથી મળવાનુ એટલે કોંગ્રેસ બહિષ્‍કાર કરશેઃ ડો. જૈમનભાઈ

રાજકોટ, તા. ૧૫ :. વિપક્ષ કોંગ્રેસે આવતીકાલે મળનાર કોર્પોરેશનના જનરલ બોર્ડના બહિષ્‍કારનો નિર્ણય કર્યો છે. તે બાબતે મેયર ડો. જૈમન ઉપાધ્‍યાયનો સંપર્ક સાધતા તેઓએ ‘અકિલા'ને જણાવ્‍યુ હતુ કે, આવતીકાલનું જનરલ બોર્ડ ચૂંટણી આચારસંહિતાને કારણે માત્ર ઔપચારીક રીતે જ મળનાર છે, એટલે કોર્પોરેટરોને આ મીટીંગનું ભથ્‍થુ મળવાનુ નથી.

આથી જ કોંગી કોર્પોરેટરોએ બોર્ડમાં આવવાનું ટાળ્‍યુ છે, બાકી ભાજપ સામે કરેલા આક્ષેપો પાયા વિહોણા છે. કોણ શું કહે છે ? તે પ્રજા સારી રીતે જાણે છે. આથી કોંગ્રેસ માત્ર નિવેદનબાજી કરી પ્રજાને ઉંધા ચશ્‍મા પહેરાવવાનું બંધ કરે તેમ અંતમાં મેયરશ્રીએ જણાવ્‍યુ હતું.

(4:42 pm IST)