Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

નવકાર જાપઃ પ્રાણગુરૂની પુણ્યતિથી ઉજવણી

પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં

રાજકોટઃ તા.૧૫, શ્રી હિંગવાલાબેન મોટા ઉપાશ્રય ખાતે પૂ. દેવેન્દ્રમુનિ મ.સા. પૂ. શ્રી ધીરજમુનિ મ.સા. તથા પૂ. હસ્મિતાજી મ.સ. આદિની નિશ્રામા અનુષ્ઠાન મંડળના નીનાબેન દડીયા વગેરેએ પુષ્ય નક્ષત્રના નવકાર જાપઅનુષ્ઠાન કરાવેલ. રજતમાળાનો  સુરેશભાઇ  પ્રભુદાસ  હેમાણીએ ઉપાશ્રય નુતની કરણના  લાભાર્થે લાભ લીધેલ.

 જયારે ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય પૂ. પુરુષોતમજી મ.સા. ગુણસ્તુતિ તકતીનો લાભ શ્રીમતિ નિર્મળાબેન હસમુખભાઇ માવજી મહેતા પરિવારે લીધેલ છે. અનાવરણવિધી તા.૧૭ને રવિવારે યોજાયેલ છે. સોૈરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરૂદેવની ૬૧મી પુણ્યતિથી નિમિતે ૨૦૧ એકાસન થયેલ વ્યાખ્યાન હોલમાં ફોરસીલીંગ તેમજ જ્ઞાનાદી કક્ષનું નુતનીકરણ કાર્ય ચાલુ છે. લલિત સંગીત મંંડળના  બહેનોએ   પ્રાણગુરૂ   પ્રાણાંજલિ ગીત રજુ કરેલ. પૂ. શ્રી ધીરજમુનિ મ.સ. ઘાટકોપરમાં બિરાજે છે.

(3:34 pm IST)