Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સુપ્રસિદ્ઘ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ : હોમ આઈસોલેશન

રાજકોટ તા. ૧૫: સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ દેસાઈએ  કોરોનાના બારામાં ટેસ્ટ કરાવતા તેઓને કોરોના પોઝિટિવ ના લક્ષણો જણાતા રાજકોટ ના જાણીતા ફિઝીશયન ડો. સંજયભાઈ ભટ્ટની તબીબી સલાહ અનુસાર તેઓ પોતાના ઘરે જ હોમ આઇસોલેશન અંતર્ગત સારવાર લઈ રહ્યા છે. 

તેઓની તબિયત સારી છે. તેમને કોરોના થયાનું બહાર આવતા તેમના પરિચીતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે, તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હોય તેઓ ઘરે જ આઇસોલેટ થયા છે.

મિત્રો-શૂભેચ્છકો વગેરેની લાગણીથી તેઓ ટૂંક સમયમાં કોરોનાને હરાવી બહાર આવશે.

(2:59 pm IST)