Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભાજપ દ્વારા કાલે ઇ-ચિંતન અભ્યાસ વર્ગ : અમોહભાઇ શાહ મુખ્ય વકતા

અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇ જવા કમલેશ મિરાણીનો અનુરોધ

રાજકોટ તા. ૧૫ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ તા. ૨૫ જુનના શુક્રવારથી પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ મહાનગરના ઇ-ચિંતન અભ્યાસવર્ગનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત કાલે તા. ૧૬ ના શુક્રવારે સાંજે ૭ થી ૮.૩૦ કલાક અને ત્યારબાદ તા. ૨૩ જુલાઇ અને ૩૦ જુલાઇ એટલે કે દર શુક્રવારે સાંજે ૭ થી ૮.૩૦ દરમિયાન આ અભ્યાસવર્ગ યોજાશે.

જેમાં જુદા જુદા વિષયો પર જુદા જુદા વકતાઓ વકતવ્ય આપશે. આવતીકાલે યોજાનાર અભ્યાસવર્ગમાં પ્રદેશ ભાજપ અગ્રણી અમોહભાઇ શાહ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર માર્ગદર્શન આપશે. અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇ જવા કમલેશ મિરાણી દ્વારા અનુરોધ કરાયો છે.

(4:04 pm IST)