Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વોર્ડ નં. ૧૬ નાં જંગલેશ્વર વિસ્તારમાં પુરથી ભારે નુકશાનઃ સ્થાનીક આગેવાનો તંત્ર સાથે બચાવ કાર્યમાં જોડાયા

રાજકોટ : ગઇકાલે વોર્ડ નં. ૧૬ માં જંગલેશ્વરમાં પુરનાં પાણીથી ભારે નુકશાની થઇ છે. થાંભલાઓ - દિવાલો તુટી પડયા છે. જે તસ્વીરમાં દર્શાય છે. ગઇકાલે પુરની સ્થીતીમાં ૩૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ હતું. જેમાં સ્થાનીક સામાજીક આગેવાન બુખારી બાપુ સહિતનાં કાર્યકરો મ.ન.પા.નાં ઇજનેરો ત્થા ભકિતનગર પોલીસનાં સ્ટાફ સાથે સતત રહ્યા હતાં. 

(4:35 pm IST)