Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

બે અલગ અલગ બનાવમાં બેભાન હાલતમાં મહિલા અને પ્રોૈઢના મોત

રતનપરના શહેનાઝબેન અને ભગવતીપરાના મુળુભાઇઍ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૪: અલગ અલગ બે બનાવમાં રતનપરના મહિલાનું અને ભગવતીપરાના પ્રોૈઢને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મોત નિપજ્યા હતાં.

મોરબી રોડ પર આવેલા રતનપરમાં રહેતાં શહેનાઝબેન ગોપાલભાઇ મહેતા (ઉ.વ.૩૪) ઘરે સાંજે જમતાં જમતાં ચક્કર આવ્યા બાદ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

શહેનાઝબેનના માવતર રાજકોટ રહે છે. તેણીએ દસ વર્ષ પહેલા રતનપરના ગોપાલભાઇ મહેતા સાથે લવમેરેજ કર્યા હતાં. સંતાનમાં બે પુત્ર છે.

બીજા બનાવમાં ભગવતીપરા ઝમઝમ બેકરી પાસે રહેતાં મુળુભાઇ પોલાભાઇ કુગશીયા (ઉ.વ.૫૧) રાતે એકાદ વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતક ત્રણ ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્રી છે. પોતે આરએમસીમાં પાણી પુરવઠા વિભાગમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:29 pm IST)