Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગંજીવાડાના હનીફશાને પાસા તળે સુરત જેલમાં ધકેલાયો

એ-ડિવીઝન પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૧૪: ગુનાહિત ઇતિહાસ ધરાવતાં વધુ એક શખ્સને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસા તળે જેલહવાલે કર્યો છે. ગંજીવાડા-૨૦માં રહેતાં હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩૮)ને એ-ડિવીઝન પોલીસે મિલ્કત સંબંધી ગુનાઓમાં પકડ્યો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં સુરત જેલ હવાલે કરાયો છે.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ સી. જી. જોષી, પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએઅસાઇ ભરતસિંહ વી. ગોહિલ, હારૂનભાઇ આર. ચાનીયા, હેડકોન્સ. દિપકભાઇ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, શૈલેષભાઇ ખીહડીયા, કોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, રામભાઇ આહિર, મેરૂભા ઝાલા, સાગરદાન ગઢવી, હરપાલસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, કોકીલાબેન દાફડા, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા સહિતે આ કામગીરી કરી હતી.

(11:47 am IST)