Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

બેભાન હાલતમાં કેતનભાઇ મકવાણા અને મુકેશભાઇ રોજાસરાના મોત

માયાણીનગર અને પાંજરાપોળમાં રહેતાં પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૪: માયાણીનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતો કેતનભાઇ અમૃતભાઇ મકવાણા (ઉ.વ.૨૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર કેતનભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં બે પુત્ર છે. ટીબીની બિમારીથી મૃત્યુ થયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં પાંજરાપોળ પાસે ભીમા કોટડીયા શેરી નં. ૨માં રહેતાં મુકેશભાઇ જેસીંગભાઇ રોજાસરા (ઉ.વ.૪૨)ને ટીબીની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક અપરિણીત હતાં અને ઇમિટેશનનું કામ કરતાં હતાં. તે ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)