Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજકોટ પુરવઠાના માર્કેટ યાર્ડમાં પણ દરોડા : સ્ટોક મર્યાદા સંદર્ભે ૪ વેપારીઓ પર બપોરથી ટીમો ત્રાટકી

રાજકોટ, તા. ૧૪ : સ્ટોક મર્યાદા આવતા રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે ગઈકાલે કઠોળની ૫ મીલો ઉપર દરોડા પાડ્યા બાદ આજે બપોરે અઢી વાગ્યે ડીએસઓ શ્રી પૂજા બાવડાની સુચનાથી પુરવઠા એસટીનો સપ્લાય ઈન્સ્પેકટર પરસાણીયા અને તેમની ટીમો રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રાટકી છે.

બપોરે ૨:૩૦ વાગ્યાથી જથ્થાબંધ અને રીટેલ ૩ થી ૪ વેપારીઓ ઉપર દરોડા પાડી ચણા, અડદ તથા અન્ય તમામ પ્રકારના કઠોળ અને જણસીઓનો સ્ટોક લેવાનુ શરૂ કર્યુ છે. ખરીદ અને વેચાણના બીલો ચકાસવાનું શરૂ કર્યુ છે. સાંજ સુધીમાં રીપોર્ટ બહાર આવશે.

(3:12 pm IST)