Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

શહેરમાં બપોર સુધીમાં આજે 'શુન્ય' કેસ

કુલ કેસનો આંક ૪૨,૭૭૫એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૨૭૨ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૭૩ ટકા થયોઃ હાલ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૪:   શહેરમાં આજ બપોર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૭૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૨૭૨  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૨૭૦૫  સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૦૪ ટકા થયો  હતો. આજ દિન સુધીમાં ૧૨,૨૬,૭૯૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૨૭૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૪૯ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૩ ટકા એ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:11 pm IST)