Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મનહરપુર મફતીયાપરામાં કૈલાસ તનવરને કૌટુંબીકભાઇ સાગર અને સુનીલે સળીયાથી ધોકાવ્યો

ઇંડા લેવા જતા સાગરને ભુલથી હાથ અડી જતા ડખ્ખો થયો

રાજકોટ તા. ૧૪ : જામનગર રોડ મનહરપુર-૧ પાણીના ટાંકા પાસે મફતીયાપરામાં દુકાને ઇંડા લેવા ગયેલા યુવાનનો ભુલથી હાથ અડી જતા તેના બે કૌટુંબિક ભાઇઓએ સળીયાથી માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાજસ્થાનના ઘોડા વડના વતની હાલ રાજકોટ મનહરપુર-૧ પાણીના ટાંકા પાસે મફતીયાપરામાં રહેતો કૈલાશ મોહનલાલ તનવર (ઉ.૨૭) બે દિવસ પહેલા મેટોડા કામેથી પોતાના કાકાનો દીકરો સુરેન્દ્ર હાપુરામજી તનવરના ઘરે ગયો હતો. ત્યાં અડધો કલાક રોકાયો હતો બાદ પોતાના ઘરની નજીક આવેલ ફારૂકભાઇની દુકાને ઇંડા લેવા માટે ગયો હતો ત્યાં પોતાના કૌટુંબિક સગાનો દીકરો સુનીલ જોગાવત અને સાગર પન્નુ (રહે. બંને મનહરપુર-૧ મફતીયાપરામાં) બંને ત્યાં હાજર હતા ત્યારે પોતાનો હાથ ભુલથી સાગરને અડી જતા તે અચાનક ઉશ્કેરાઇ જઇ ગાળો આપી સાગર અને સુનીલ જોગાવત બંને ઝઘડો કરવા લાગેલ અને સાગરે સળીયો લાવી કૈલાશને માથામાં તથા કાકાના દીકરા સુરેન્દ્રને પણ માથાના ભાગે સળીયો ફટકારી ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને શખ્સો ભાગી ગયા હતા બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે કૈલાશ તનવરે યુનિવર્સિટી પોલીસ મથકમાં સાગર પન્નુ અને સુનીલ જોગાવત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. એસ.એમ.ખેરાણીએ તપાસ હાથ ધરી છે.

(2:40 pm IST)