Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

પરસાણાનગરમાં મોડા ઘરે આવેલા પતિની પુછતાછ કરતાં રંજીતા ચોૈહાણની ધોલધપાટ

રાજકોટઃ જામનગર રોડ પર પરસાણાનગર-૧૨માં રહેતી રંજીતાબેન શંકર ચોૈહાણ (ઉ.૨૫) નામની પરિણીતાએ રાત્રે પતિ શંકર શીવાભાઇ ચોૈહાણ મોડા ઘરે આવતાં કયાં હતાં? તે બાબતે પુછતાછ કરતાં પતિએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર લેવી પડી હતી. મહિલા પોલીસ મથકના એચ.ડી. સોલંકીએ ત્રાસ આપવા સબબ શંકર ચોૈહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:31 am IST)