Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

નવરાત્રી-દશેરામાં નવા કાયદા મુજબ મિઠાઇના વેપારીઓ સામે ચેકીંગ ઝુંબેશ

મીઠાઇની ચોકી - પેકીંગ વગેરેમાં મેન્યુફેકચરીંગની તારીખ અને કેટલા દિવસ સુધીમાં ઉપયોગ લઇ શકાશે તેની તારીખ લખવી ફરજીયાતઃ મ્યુ. કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ચેકીંગ શરૂ થશે

રાજકોટ તા. ૧ : ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ અન્વયે હવેથી વાસી મીઠાઇ વેચનારા સામે રૂ.૨ લાખ સુધીના દંડની જોગવાઇવાળો નવો કાયદો તા. ૧ ઓકટોબરથી અમલી બની ગયો છે ત્યારે રાજકોટમાં મ.ન.પા.ના ફૂડ સેફટી ઓફિસરોએ મીઠાઇની દુકાનોમાં આગામી નવરાત્રી અને દશેરાનાં તહેવારોમાં આ બાબતોનું ચેકીંગ કરશે. અગાઉ આ બાબતે ૪૫ વેપારીઓને નોટીસો આપી દીધી છે.

આ અંગે મ.ન.પા.ના સત્ત્।ાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ફુડ સેફટી ઓથોરિટી દ્વારા આજથી ફુડ સેફટી અંગે નવા કાયદાની અમલવારી રાજયભરમાં શરૂ કરાવી છે.

જે અંતર્ગત આજથી શહેરમાં મીઠાઇનું લુઝ તેમજ પેકીંગમાં વેચાણ કરતા વેપારીઓએ મીઠાઇના ઉત્પાદનની તારીખ અને કેટલા દિવસ સુધીના ઉપયોગમાં લઇ શકાય તેની તારીખો એટલે કે 'ડેઇટ  ઓફ મેન્યુફેકચરીંગ' અને 'બેસ્ટ બીફોર ડેઇટ' એ લખવું ફરજીયાત થઇ ગયું છે.

આ માટે દૂધની ડેરી કે મીઠાઇ ફરસાણની દુકાનોમાં ખુલ્લી ચોકી ઉપર પણ આ બંને ડેઇટ લખવાની રહેશે તથા પેકેટ ઉપર પણ લખવાનું રહેશે.

દરમિયાન મીઠાઇ વેચતા વેપારીઓને ત્યાં આજે મ.ન.પા.ના ફૂડ સેફટી ઓફિસરોએ આ બાબતનું ચેકીંગ શરૂ કરી વેપારીઓને આ નવા નિયમની અમલવારી અંગે માર્ગદર્શન આપી ચેતવણીઓ આપી હતી.

નોંધનીય છે કે આ નવા કાયદાનું ઉલ્લંદ્યન કરનારા વેપારીઓને રૂ. ૨ લાખ સુધીના દંડની જોગવાઇ આ નવા કાયદામાં હોવાનું સત્ત્।ાવાર સૂત્રોએ જણાવેલ થોડા દિવસો અગાઉ ૪૫ વેપારીને આ કાયદા અંતર્ગત નોટીસ અપાઇ હતી.

(3:52 pm IST)