Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કાલાવડ રોડ ઉપર બાલાજી બ્રીજ પાસે પુરમાં ફસાયેલા ૮ લોકોને બચાવતી લોધીકા પોલીસ

પી. એસ. આઇ. કે. કે. જાડેજા તથા ટીમની પ્રસંશનીય કામગીરી

રાજકોટ-કાલાવડ રોડ ઉપર વાગુદડ ગામ પાસે બાલાજી બ્રીજ પાસે પુરમાં ફસાયેલા ૮ લોકોને લોધીકા પોલીસે રેસ્કયુ કરી બચાવી લીધા હતાં. ન્યારી ડેમના પાટીયા ખોલાતા વાડી વિસ્તારમાં રહેતા ૮ થી વધુ લોકો પાણીના પુરમાં ફસાયા હોવાની લોધીકા પોલીસને જાણ થતા પી. એસ. આઇ. કે. કે. જાડેજા સહિતની ટીમે રેસ્કયુ કરી ૮ લોકોને હેમખેમ બચાવી લીધા હતાં. તસ્વીરમાં લોધીકાના પીએસઆઇ કે. કે. જાડેજા તથા ટીમ રેસ્કયુ કરતા નજરે પડે છે.

(3:59 pm IST)