Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વિમલનાથ ઉપાશ્રયે

પૂ. નયનાજી મ.સ. નિશ્રામાં માસ ક્ષમણ-સોળ ભથ્થાની તપસ્યા

રાજકોટ તા. ૧૩: શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વસંતબેન પ્રવીણચંદ્ર પારેખ-વિમલનાથ ઉપાશ્રયે (ગોપાલ ચોક) પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. નયનાજી મ.સ., પૂ. જિનેશાજી મ.સ.ની નિશ્રામાં પર્યુષણ પ્રસંગે ૧ માસ ક્ષમણ અને સમગ્ર રાજકોટમાં સૌથી વધુ ૭ સોળ ભથ્થા, ૧૧ ઉપવાસ-૧, ૯ ઉપવાસ-૪, અઠ્ઠાઇ-૧૭, છકાય-૩ અને અઠ્ઠમ-ર૭ તેમજ બાળકોએ ર૦ દ્રવ્યતમ કરેલ. શ્રીમતી નીતાબેન દિનેશભાઇ રૂપાણી પ્રેરિત ડુંગ દરબાર અમૃત ઘાયલ હોલ) માં સેંકડો ભાવિકોએ પ્રવચન શ્રવણનો લાભ લીધેલ. વર્ધમાન જૈન પાઠશાળામાં પ૦ બાળકો લાભ લઇ રહેલ છે. અનસૂયાબેન ધનસુખભાઇ પારેખ-આયંબિલ ભવનમાં આસો માસની ઓળીનું આયોજન કરાશે.

(3:50 pm IST)