Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રેલનગરમાં 'અમારી વાતો કેમ કરે છે' કહી યુવાન પર છરીથી હુમલો કરનાર બે પકડાયા

પ્રનગર પોલીસે રેલનગરના ઋતુરાજસિંહ અને મનીષની ધરપકડ કરી

રાજકોટ,તા. ૧૩ : રેલનગરમાં રેસ્ટોરન્ટ સંચાલકને 'તુ શું કામ અમારી વાતો કરે છે' કહી બે શખ્સોએ છરી વડે હુમલો કરતા પ્રનગર પોલીસે બે શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ બજરંગવાડીમાં રહેતા અને રેલનગરમાં રેસ્ટોરન્ટ ચલાવતા કૌશીકભાઇ અમરશીભાઇ ચૌહાણ બે દિવસ પહેલા તેની દુકાન પાસે હતા ત્યારે 'તું અમારી વાતો કેમ કરે છે' કહી ઋતુરાજસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા અને મનીષ નવીનચંદ્રભાઇ જાની નામના શખ્સો પર છરી વડે હુમલો કરી નાસી જતા ધવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પ્રનગર પોલીસે રેસ્ટોરન્ટ સંચાલનક કૌશિકભાઇ ચૌહાણની ફરિયાદ પરથી બંને શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ અંગે પી.આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી.વી.બોરીસાગર, પીએસઆઇ કે.સી.રાણા, એ.એસ.આઇ ચંદ્રસિંહ ઝાલા, કનુભાઇ માલવીયા, હેડ કોન્સ. કલ્પેશસિંહ, વિજયરાજસિંહ, આનંદભાઇ, કુલદીપસિંહ, હીરેનભાઇ, રસીકભાઇ તથા રામજીભાઇ તથા સુફીયાનબેન કટારીયા સહિતે રેલનગર શિતલ પાર્ક-૨માં રહેતા ઋતુરાજસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા (ઉવ.૩૦) અને રેલનગર પાણીના ટાંકા પાસે રહેતા મનીષ નવીનચંદ્રભાઇ જાની (ઉવ.૪૮) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)