Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટના આજી-૨ ડેમના ચાર દરવાજા ૧ાા ફુટ ખોલાયા

રાજકોટ તા. ૧૩ : ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફલડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી-૨ ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટ ખોલવામાં આવ્યા છે. આથી ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી ૭૩.૭૬ મીટર છે અને ડેમમાં ૪૪૯૨ કયુસેક પાણીની આવક છે.

(12:19 pm IST)