Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોનાથી મૃત્યુ પામનાર પીઆઇ એમ. એ. બહેલીમ અને એએસઆઇ આર. આર. વાઘને રાજકોટ ખાતે શ્રધ્ધાંજલિ

પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મોૈન પાળી શોકાંજલી અર્પણ કરી

રાજકોટઃ સીઆઇડી (ઇન્ટે.) ગાંધીનગર ખાતે ફરજ બજાવતાં પીઆઇ એમ.એ. બહેલીમ તથા સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજેન્દ્રભાઇ રતનભાઇ વાઘ કોરોના વાયરસ અંગેની પોતાની ફરજ દરમિયાન સંક્રમણ થતાં ૧૧/૭ના રોજ અવસાન પામ્યા છે. આ બંને કોરોના વોરિયર અધિકારીને તેમણે નિષ્ઠા પુર્વક બજાવેલી ફરજ અને એ દરમિયાન અવસાન થતાં તેમને શ્રધ્ધાંજલિ-શોકાંજલિ આપવા આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલ તથા અન્ય અધિકારીઓ, સ્ટાફે પોલીસ કમિશનર કચેરી ખાતે મોૈન પાળી સદ્દગતોને શ્રધ્ધાંજલિ આપી હતી

(3:53 pm IST)