Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામની સીમમાં વીજળી પડતાં એકનું મોત : ૨ દાઝી ગયા : જામજોધપુરમાં એક ઇંચ : જામનગર , લાલપુર, ટંકારા , મહુવા , રાજકોટ , તળાજા , માળીયામીયાણામાં હળવા ભારે ઝાપટાં

રાજકોટ તા.૧૩ :   રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે આવા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમા જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હોવાનું જામજોધપુરના પ્રતિનિધિ દર્શન મકવાણાએ જણાવ્યું છે.

        આ ઉપરાંત રાજકોટ તળાજા મહુવા જામનગર લાલપુર ટંકારા માળીયા મીયાણા સહિતના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

     સુરેન્દ્રનગર જિલ્લાના  ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામની સીમમાં વીજળી પડતાં એકનું મોત થયું છે જ્યારે ૨ દાઝી ગયા હતા જેઓને સારવાર માટે હોસ્પિટલ એ ખસેડેલ છે

(4:28 pm IST)