Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ભાજપની દમનગીરી સામે કોંગ્રેસનો સત્‍યાગ્રહ, લડીશુ, ડરીશુ તો નહી જ : લલીત કગથરા

રાજકોટ,તા.૧૩: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત પ્રેસ કોન્‍ફરન્‍સમાં  ટંકારાના ધારાસભ્‍ય લલીતભાઈ કગથરાએ કહ્યું કે ભાજપ સરકાર કોંગ્રેસના કાર્યકર નેતાઓને દબાવવાનો, ડરાવી, બદનામ કરવાનો અને મુશ્‍કેલીમાં મુકવાથી તે તૂટી જશે તે ભાંગી પડશે તેવું વિચારવું ભૂલ ભરેલું છે. કોંગ્રેસ કાર્યકર, આગેવાન નેતા અને સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી બમણી તાકાતથી ભાજપ ની દમનકારી, યુવાવીરોધી, ખેડૂત વિરોધી, મહિલા વિરોધી નીતિનો વિરોધ કરીશું.

તાનાશાહી ભાજપ સરકાર દ્વારા ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા  શ્રી રાહુલ ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા કેસના વિરોધમાં જીએમડીસી ગ્રાઉન્‍ડ અમદાવાદ ખાતે રાષ્‍ટ્રવ્‍યાપી ધરણા કરવામાં આવશે. ડર, ભય ઉભો કરનાર ભાજપાની દમનકારી નીતિ સામે કોંગ્રેસ પક્ષનો સત્‍યાગ્રહ છે.

આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, મહેશભાઈ રાજપૂત, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા અને નરેન્‍દ્ર સોલંકી ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:18 pm IST)