Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

તરઘડીયા ગામના પાટીયા પાસે બસ સ્ટેશનમાંથી વૃધ્ધનો મૃતદેહ મળ્યો

વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૩: રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડીયાના પાટીયા પાસે બસ સ્ટોપમાં અજાણ્યા આશરે ૬૫ વર્ષના વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. વૃધ્ધનું મોત બિમારીથી થયાની શકયતા જણાવાઇ હતી. તેમણે ફુલની ડિઝાઇનનો શર્ટ અને કાળુ લોઅર પહેર્યુ છે. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના વાલીવારસ હોય તો પોલીસનો  ૯૫૩૭૮ ૨૪૯૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:39 pm IST)