Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કણકોટમાં વાડીએ બેભાન થઇ જતાં ૧૧ વર્ષના આદિવાસી બાળકનું મોત

રાજકોટ તા. ૧૩: કણકોટમાં ધોળાધાર પર શૈલેષભાઇની વાડીમાં મજૂરી કરવા આવેલા મધ્‍યપ્રદેશના પરિવારના ૧૧ વર્ષનો પુત્ર રૂપેશ સિકંદરભાઇ ભુરીયા (ઉ.૧૧) રાત્રે સાડા અગિયારેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતક પાંચ ભાઇમાં નાનો હતો. તેના ભાઇઓ સાથે અહિ રહેતો હતો. જનાવર કરડી ગયાની શક્‍યતા પરિવારજનોએ દર્શાવી હતી. 

(4:40 pm IST)