Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જામનગરની ભારતીબેન સોલંકીએ રાજકોટના અણીયારામાં આપઘાત કર્યો

બે વખત કસુવાવડ થઇ જતાં પગલું

રાજકોટ તા. ૧૩: જામનગર ઇન્‍દિરા કોલોની ખોજાવાડ સામે રહેતી ભારતીબેન ભાવીન સોલંકી (ઉ.૨૨)એ રાજકોટના અણીયારા ગામે માવતરને ત્‍યાં ગઇકાલે ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેણીના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. જે. પરમારે કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારજનોમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. સ્‍વજનના કહેવા મુજબ લગ્ન જીવન દરમિયાન બે વખત કસુવાવડ થઇ જતાં તે ડિપ્રેશનમાં આવી ગઇ હોવાની શક્‍યતા છે. બે માસથી તેણી અણીયારા માવતરે આવી હતી. 

(12:04 pm IST)