Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

બેભાન હાલતમાં બે મહિલા અને આધેડે દમ તોડ્યો

ચુનારાવાડના અર્જુનભાઇ, વેલનાથના ચંદ્રાવતિબેન અને કિટીપરાના નિરૂબેનનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ

રાજકોટ તા. ૧૩:ચુનારાવાડ-૧માં રહેતાં મુળ યુ.પી.ના અર્જુનભાઇ સાધુભાઇ નિશાદ (ઉ.૪૫)ને બિમારી હોઇ રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતક ઇમિટેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. પોતે બે ભાઇ અને છ બહેનમાં વચેટ હતાં. થોરાળાના એએસઆઇ બી. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ વેલનાથ સોસાયટીમાં રહેતાં ચંદ્રાવતીબેન સુરેશભાઇ યાદવ (ઉ.૪૭) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. આજીડેમ પોલીસ મથકના રાજેશભાઇ મેરએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં કીટીપરા ગાયકવાડી-૫માં રહેતાં નિરૂબેન કલ્પેશભાઇ રાઠોડ (ઉ.૩૫) ટીબીની બિમારીથી બેભાન થઇજતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પ્ર.નગરના એએસઆઇ તૃષાબેન આર. પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૮)

(12:53 pm IST)