Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોંગ્રેસના હોદ્દેદારોની નિમણૂક : પૂર્વ મેયર અને લડાયક નેતા અશોકભાઇ ડાંગરને રાજકોટ શહેર પ્રમુખપદે રિપીટ કરાયા

ગુજરાતના કુલ ૪ જિલ્લા - શહેરના પ્રમુખોના નામ જાહેર કરતા રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી : રાજેન્દ્રસિંહ દરબાર : મહેસાણા જિલ્લા પ્રમુખ, ભાવનગર શહેર પ્રમુખપદે પ્રકાશ વાઘાણી અને ગીર સોમનાથમાં મનસુખભાઇ ગોહેલની નિયુકિત

અમદાવાદ તા. ૧૨ : રાજયમાં કોંગ્રેસના હોદેદારોની નિમણુંક કરાઈ છે જેમાં પૂર્વ મેયર અને લડાયક નેતા અશોકભાઈ ડાંગરને રાજકોટ શહેર પ્રમુખપદે રિપીટ કરાયા છે.

રાજયના કુલ ચાર જિલ્લા શહેર પ્રમુખોના નામને કોંગ્રેસના રાષ્ટ્રીય અધયક્ષા સોનિયા ગાંધીએ મંજૂરીની મહોર મારી છે. જેમાં રાજેન્દ્રસિંહ દરબાર મહેસાણા જિલ્લા પ્રમુખ, ભાવનગર શહેર પ્રમુખપદે પ્રકાશ વાઘાણી, અને ગીર સોમનાથમાં મનસુખભાઈ ગોહેલની નિયુકિત કરાઈ છે.

(10:11 am IST)